મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના ગુંદાખડા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અજયભાઈ મકવાણાના પત્ની હેતલબેન મકવાણા (19)એ કોઈ કારણોસર ગત તા. 29/11 ના રોજ 8:30 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો 8 માસનો છે. જો કે તેને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે.

બાળક સારવારમાં

બોટાદ તાલુકાના ગઢડીયા ગામના રહેવાસી જમિત કેતનભાઇ અઘારા (7) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને કોઈ કારણે અકસ્માત થયો હતો જેમાં તે બાળકને ઇજા થવાથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ગૂંગણ ગામે રહેતા કાંતિ મગનભાઈ સાકરીયા (27) નામના યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવીલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

કારમાં આગ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર દેવ ફાર્મની સામેના ભાગમાં પ્રથમ હાઈટમાં રહેતા હિતેશ દેવજીભાઈ સંઘાણી (40)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, ગત તા. 5/12 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં લીલાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલો નજીક તેની ક્રેટા ગાડી નંબર જીજે 36 એલ 0019 લઈને પ્રસંગમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ગાડીમાં આગ લાગી હતી, જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News