મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત


SHARE









મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત

મોરબીમાં આવેલ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોની કુટુંબની માહિતી અપડેટ કરવાનું એક અભિયાન 13, ડિસેમ્બર સુધીમાં હાથ ધરવવામાં આવ્યું છે. જેથી કરીને નોંધાયેલા જ્ઞાતિ સભ્યોના કુટુંબની માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર, કુટુંબની સંખ્યા વગેરે જેવી વિગતો વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે ત્યાર બાદ તે માહિતીને અપડેટ કરવામાં આવશે જેથી આગામી 13, ડિસેમ્બર શુક્રવાર સુધીમાં જ્ઞાતિની ભોજનશાળા (વાડી) એ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સભ્યના કુટુંબની માહિતીને અપડેટ, સુધારો કે ફેરફાર કરવામાં આવશે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.

તેમજ જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો. ડૉ. હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ,ભાતૃભાવને કારણે  ઈચ્છા હતી કે, આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવું છે. આ ઈચ્છા તેમના પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈ પૂરી કરવાના છે. અને આગમી તા 15/12 રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વાડીએ જ્ઞાતિ સભ્ય જ્યારે કુટુંબની માહિતી આપવા માટે આવે ત્યારે આમંત્રણ પત્રક અને ભોજન પાસ આપવામાં આવશે. તેવું જ્ઞાતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવ્યુ છે.






Latest News