મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે અગ્નિવિરની તાલીમ લઈને આવેલ યુવાનનું કર્યું ભવ્ય સ્વાગત


SHARE













મોરબીના લાલપર ગામે અગ્નિવિની તાલીમ લઈને આવેલ યુવાનનું કર્યું ભવ્ય સ્વાગત

મોરબી તાલુકાના લાલપર ગામનો યુવાન મેહુલભાઈ રમેશભાઈ બાર અગ્નિવીર આર્મીમાં પસંદગી પામેલ છે અને તે યુવાન તાલીમ પૂર્ણ કરીને વતન પરત આવ્યો હતો ત્યારે ગામજનોએ વાજતે ગાજતે ફુલડે વધાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મેહુલભાઈ રમેશભાઈ બાર જાતે રબારીને નાનપણથી જ દેશ સેવાનું સપનું હતું અને તેના માટે તે તનતોડ મહેનત પણ કરતો હતો. અને અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યો હતો તેનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડિયા તેમજ ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તેમજ યુવાને જ્યાં પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું તે નવદીપ વિદ્યાલય શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા.






Latest News