મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે અગ્નિવિરની તાલીમ લઈને આવેલ યુવાનનું કર્યું ભવ્ય સ્વાગત


SHARE







મોરબીના લાલપર ગામે અગ્નિવિની તાલીમ લઈને આવેલ યુવાનનું કર્યું ભવ્ય સ્વાગત

મોરબી તાલુકાના લાલપર ગામનો યુવાન મેહુલભાઈ રમેશભાઈ બાર અગ્નિવીર આર્મીમાં પસંદગી પામેલ છે અને તે યુવાન તાલીમ પૂર્ણ કરીને વતન પરત આવ્યો હતો ત્યારે ગામજનોએ વાજતે ગાજતે ફુલડે વધાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મેહુલભાઈ રમેશભાઈ બાર જાતે રબારીને નાનપણથી જ દેશ સેવાનું સપનું હતું અને તેના માટે તે તનતોડ મહેનત પણ કરતો હતો. અને અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યો હતો તેનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડિયા તેમજ ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તેમજ યુવાને જ્યાં પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું તે નવદીપ વિદ્યાલય શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા.






Latest News