ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ ઈસમોએ માર માર્યો


SHARE













મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ સગા ભાઈઓએ માર માર્યો

મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની રેકડી ધરાવતા યુવાને ત્યાં આવેલ ગેરેજ વાળા ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તે ગટરમાંથી નીકળતા ગંદા પાણીની દુર્ગંધ આવે નહીં તે માટે ગટરનું ઢાંકણું તોડવા માટે યુવાન તથા સાહેદે તેને સમજાવ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ત્રણ સગા ભાઈઓએ યુવાન સહિતના બે વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાનને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ તે યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફર્ન વર્લ્ડની બાજુમાં આવેલ આનંદ નગરમાં રહેતા અને શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની લાવી ધરાવતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયા (30)એ રમેશ વીરજીભાઈ પરમાર, મનસુખ વિરજીભાઈ પરમાર અને દયારામ વીરજીભાઈ પરમાર રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે તથા સાહેતેની નાસ્તાની લારી પાસે હતા ત્યારે રમેશ અને મનસુખ તેમના ગેરેજ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તેમાં નીકળતા ગંદા પાણીની દુર્ગંધ ન આવે તે માટે થઈને ફરિયાદી તથા સાહેદે ગટર ન તોડવા તેને સમજાવતા રમેશ અને મનસુખએ ફરિયાદી યુવાન તથા સાહેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જપાજપી કરી હતી ત્યારબાદ ત્યાં આવેલા દયારામએ લોખંડના પાઇપ પડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો. તથા શરીરે ઇજા કરી હતી તેમજ સાહેને પણ ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવારમાં ખેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News