મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ ઈસમોએ માર માર્યો


SHARE







મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ સગા ભાઈઓએ માર માર્યો

મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની રેકડી ધરાવતા યુવાને ત્યાં આવેલ ગેરેજ વાળા ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તે ગટરમાંથી નીકળતા ગંદા પાણીની દુર્ગંધ આવે નહીં તે માટે ગટરનું ઢાંકણું તોડવા માટે યુવાન તથા સાહેદે તેને સમજાવ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ત્રણ સગા ભાઈઓએ યુવાન સહિતના બે વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાનને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ તે યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફર્ન વર્લ્ડની બાજુમાં આવેલ આનંદ નગરમાં રહેતા અને શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની લાવી ધરાવતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયા (30)એ રમેશ વીરજીભાઈ પરમાર, મનસુખ વિરજીભાઈ પરમાર અને દયારામ વીરજીભાઈ પરમાર રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે તથા સાહેતેની નાસ્તાની લારી પાસે હતા ત્યારે રમેશ અને મનસુખ તેમના ગેરેજ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તેમાં નીકળતા ગંદા પાણીની દુર્ગંધ ન આવે તે માટે થઈને ફરિયાદી તથા સાહેદે ગટર ન તોડવા તેને સમજાવતા રમેશ અને મનસુખએ ફરિયાદી યુવાન તથા સાહેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જપાજપી કરી હતી ત્યારબાદ ત્યાં આવેલા દયારામએ લોખંડના પાઇપ પડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો. તથા શરીરે ઇજા કરી હતી તેમજ સાહેને પણ ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવારમાં ખેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News