મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ


SHARE







મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ

મોરબીના શનાળા રોડે આવેલ યદુનંદન પાર્ક-2 માં રહેતા આધેડનો ભાણેજ તે જ વિસ્તારમાં રહેતા યુવાનની દીકરીને ભગાડી ગયેલ છે અને તે બંનેએ લગ્ન કરી લીધેલ છે જેથી તે કયા રહે છે તે પૂછવા માટે યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિ યુવકના મામાના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી તેમજ મારા મારી થયેલ હતી જેથી બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલી યદુનંદન પાર્ક-2 માં રહેતા જયરસિંહ કીર્તિસિંહ જાડેજા (45)એ ભરતભાઈ નિમાવત અને તેની સાથે આવેલ અજાણ્યા વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરીઆરોપીના ભાણેજ સાથે ભાગીને લગ્ન કરેલ છે જેથી તેઓ ક્યાં રહે છે તેનું એડ્રેસ પૂછતા હતા ત્યારે આરોપી ભરતભાઈ નિમાવત સહિતના બંને વ્યક્તિઓએ ફરિયાદીના ભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ત્યારે ફરિયાદી તેઓને છૂટા પાડવા જતા આરોપીએ ફરિયાદી સાથે પણ જપાજપી કરીને મુંઢ માર માર્યો હતો. તેમજ ભરતભાઈ નિમાવતે હાથના આગળ પહેરેલ મુઠ વતી ફરિયાદીને કપાળના જમણા ભાગે માર મારીને જા કરી હતી જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે આ બનાવમાં સામાપક્ષેથી યદુનંદન પાર્ક-2 માં રહેતા ભરતભાઈ નારણદાસ નિમાવત (52)એ ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાણેજે જયરાજસિંહ જાડેજાની દીકરી સાથે ભાગીને લગ્ન કરેલ છે જેથી તેઓ ક્યાં રહે છે તે એડ્રેસ પૂછવા માટે આરોપી ફરિયાદી પાસે આવ્યા હતા ત્યારે ફરિયાદીએ “એમને કાંઈ ખબર ન હોવાનું કહ્યું હતું” જેથી ભરતસિંહ જાડેજાએ ફરિયાદી તથા તેના સબંધીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જયરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાએ ફરિયાદી તથા સાહેને માર માર્યો હતો અને ત્યારે શક્તિસિંહ જાડેજાએ લાકડાના ધોકા વડે જમણા હાથમાં ફરિયાદીને માર મરેલ છે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી જા પામેલ વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને હલમ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News