મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ગુજરાતમાં ક્ષત્રિયોની રાજકીય ક્ષેત્રે ઘોર ઉપેક્ષા સહિતના મુદાઓનો જવાબ આપવા યોજાશે મહાસંમેલન: મોરબીમાં આવેલ ડો.રાજસિંહ શેખાવતનું આહ્વાન


SHARE













ગુજરાતમાં ક્ષત્રિયોની રાજકીય ક્ષેત્રે ઘોર ઉપેક્ષા સહિતના મુદાઓનો જવાબ આપવા યોજાશે મહાસંમેલન: મોરબીમાં આવેલ ડો.રાજસિંહ શેખાવતનું આહ્વાન

ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજસિંહ શેખાવત મોરબી જીલ્લામાં આવ્યા હતા ત્યારે મોરબી અને હળવદમાં તેઓના જુદાજુદા બે કાર્યક્રમ યોજાયા હતા અને આગામી સમયમાં જે સંમેલન ગુજરાતમાં યોજવાનું છે તેમાં વધુમાં વધુ ક્ષત્રિય સમાજના લોકો આવ તેના માટે રૂબરૂ આમંત્રણ આપવા માટે ડો. રાજસિંહ શેખાવત આવ્યા હતા અને કહ્યું હતું કે, ક્ષત્રિયોની રાજકીય ઘોર ઉપેક્ષા સહિતના મુદાઓનો જવાબ આપવા માટે આગામી દિવસોમાં સંમેલન થવાનું છે.

મોરબી જીલ્લામાં આવેલ હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ પાસે અને મોરબી નજીક માળિયા હાઈવે પર ઉમિયા પરોઠા હાઉસની પાછળ આવેલા ટિંબાવાળી મેલડી માતાજી મંદિર પહોંચ્યા હતા. ત્યારે મોરબી જિલ્લાના ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યાર બાદ મોરબી આવેલ ડો. રાજસિંહ શેખાવતએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાતનાં તમામ જિલ્લા અને તાલુકામાં ક્ષત્રિય કરણી સેનાનું સંગઠન છે અને છેલ્લા બે મહિનાથી ગુજરાતનાં ગામે ગામ લોકોનો સંપર્ક કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં અમદાવાદ ખાતે જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતમાં 31 ટકા ક્ષત્રિયો છે તેને એક મંચ ઉપર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહી છે કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી ક્ષત્રિયોની રાજકીય ક્ષેત્રે ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને લોકસભાની ચૂંટણી વખતે ટિકિટ રદ કરવાની માંગ કરી હતી તે રદ કરી ન હતી તે સહિતના જે મુદાઓ છે તેનો જવાબ આપવા માટે આગામી સમયમાં ગુજરાતમાં મહાસામેલન થવાનું છે. જેમાં મોરબી જિલ્લામાંથી પણ ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવે તેના માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.






Latest News