મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE









મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યસનમુક્તિ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના બગથળા ગામે ભાઈઓ, બહેનો અને યુવાનો માટે જુદા જુદા ચાર વિભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ નકલં મંદિર ખાતે રાખવામા આવેલ હતો જેમાં ગામના 25 થી વધુ યુવાનો અને બહેનોએ ભાગ લીધો હતો અને વક્તવ્ય રજૂ કર્યા હતા ત્યારે બગથળા નકલં મંદિરના મહંત દામજીભગત, કોમનમેન ફાઉન્ડેશનના સ્થાપક ડો. સતીષભાઈ પટેલ, ડો. રાકેશભાઈ તથા નિર્ણાયક તરીકે મોરબીના વક્તા અને બ્રહ્મ સમાજના આગેવાન રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રો. મનહર સુદ્રા અને માહિતી ખાતાના બળવંતસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રત્યેક વિભાગમાં ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ ઠોરીયાએ કર્યુ હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રાસાલાભાઈ, ધરતીબેન બરાસરા તથા બગથળાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલયના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.






Latest News