મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE















મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યસનમુક્તિ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના બગથળા ગામે ભાઈઓ, બહેનો અને યુવાનો માટે જુદા જુદા ચાર વિભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ નકલં મંદિર ખાતે રાખવામા આવેલ હતો જેમાં ગામના 25 થી વધુ યુવાનો અને બહેનોએ ભાગ લીધો હતો અને વક્તવ્ય રજૂ કર્યા હતા ત્યારે બગથળા નકલં મંદિરના મહંત દામજીભગત, કોમનમેન ફાઉન્ડેશનના સ્થાપક ડો. સતીષભાઈ પટેલ, ડો. રાકેશભાઈ તથા નિર્ણાયક તરીકે મોરબીના વક્તા અને બ્રહ્મ સમાજના આગેવાન રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રો. મનહર સુદ્રા અને માહિતી ખાતાના બળવંતસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રત્યેક વિભાગમાં ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ ઠોરીયાએ કર્યુ હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રાસાલાભાઈ, ધરતીબેન બરાસરા તથા બગથળાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલયના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.






Latest News