મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેના વારસદારને ૧.૫૫ લાખની સહાય અર્પણ


SHARE













મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેના વારસદારને ૧.૫૫ લાખની સહાય અર્પણ

મોરબીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્વ ઓવેસી ભાઈ આમદભાઈ ખુરેશીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી ૧,૫૫,૦૦૦ ની અવસાન સહાય અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા હોમગાર્ડઝ, મોરબીના મોરબી શહેર યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. ઓવેશીભાઇ આમદભાઇ ખુરેશીનું તા. ૬/૬/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦ ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી હતી. તેમના વરસદાર માતૃ અમીનાબેન આમદભાઇ ખુરેશીના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલ દ્વાર આપવામાં આવ્યો હતો. આ તકે જુનીયર ક્લાર્ક મહિધરસિંહ પી.જાડેજા, ઇન્ટ્રકટર રાજેન્દ્રસિંહ.જે.જાડેજા તથા ઓફીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ ડી.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર-રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.






Latest News