મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોની સામે ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ


SHARE







મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોની સામે ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ

મોરબી શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા ચાલકો આડેધડ રોડ ઉપર પોતાની રિક્ષા ઊભી રાખે છે જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ અંગેની રેન્જ આઈજીના લોક દરબારમાં ફરિયાદો ઉઠી હતી જેથી કરીને એસપી દ્વારા જીલ્લામાં રિક્ષા ચાલકોની સામે ખાસ ઝુંબેશ કરવામાં આવી હતી ત્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ, નહેરૂગેટ ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે નંબર પ્લેટ ન હોય, ફેન્સી નંબર પ્લેટ હોય, રિક્ષા ચાલક પાસે જરૂરી ડૉક્યુમેન્ટ ન હોય કે પછી લાયસન્સ ન હોય તે બાબતોને ચેક કરવામાં આવી હતી અને સાંજના સમયે કરવામાં આવેલ ટ્રાફિક ડ્રાઇવમાં અંદાજે ૨૫ જેટલી રિક્ષાને ડિટેઇન કરવામાં આવી તેવી માહિતી ટ્રાફિક શાખાના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

હાલમાં સીટી બસ બંધ થવાના લીધે ટ્રાફિક બાબતે અને ખાસ કરીને રિક્ષાવાળાઓનો ત્રાસ હતો તેવી ફરિયાદો લોકોમાંથી ઉઠી રહી હતી.દરમિયાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીથી થોડા દિવસો માટે રીક્ષા ચાલકો "માપમાં રહેશે" તે નિશ્ચિત છે.પરંતુ એ બાબત પણ એટલી જ નવી વાસ્તવિકતા છે કે જે રીતે વાહન ચાલકો પાસેથી દંડ ઉઘરાવવા માટે પાલીસે ધોકો પછાડીને તાબડતોબ કાર્યવાહી કરી તે રીતે જ મોરબીના નગર દરવાજા ચોક, શારમાર્કેટ ચોક, નવા-જૂના બસ સ્ટેશન ચોક સહિતના જે મુખ્ય બજાર વિસ્તારો છે.ત્યાં વર્ષોથી જે લારી-ગલ્લાં પાથરણાંના ખડકલા છે તેઓની સામે વધુ એક વખત પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.તે પણ ટ્રાફિકને અડચણરૂપ થાય છે અને લોકો માટે મુશ્કેલી સર્જે છે તો એ બાબતે ક્યારેય લક્ષ્ય સેવામાં આવશે..? તે જોવું રહ્યું.

તેમજ શહેરના મુખ્ય બજારોમાં એકી-બેકીનું પાલન કરાવવા માટે પોલીસનું વાહન ફરતું હોય છે.પરંતુ મુખ્ય રોડ ઉપર જે દબાણ હોય છે અને તેના લીધે પાર્કિંગ બરોબર થઈ શકતા નથી.તેની જવાબદારી કોની ? તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.તે ઉપરાંત એકી બેકી હોય છે ત્યારે દુકાનદારો સાથે પણ વાહન પાર્ક કરવા બાબતે લોકોને બોલાચાલી થતી હોય છે માટે જે દબાણ છે તેને પણ દૂર કરવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.






Latest News