ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવુ ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહન ખરીદનારને પાલિકામાં ભરવો પડશે વાહન કર


SHARE













મોરબીમાં નવુ ટુથ્રી અને ફોર વ્હીલર વાહન ખરીદનારને પાલિકામાં ભરવો પડશે વાહન કર

મોરની પાલિકા અને સરકાર દ્વારા લોકોની પાસેથી અનેક પ્રકારના ટેક્સ લેવામાં આવે છે તેવામાં મોરબી પાલિકાએ નવું વાહન લેનારા વ્યક્તિ પાસેથી વાહન કર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવું વાહન લેનારે 3 થી 7 ટકા સુધીનો વાહન કર પાલિકામાં આપવો પડશે જો કે, હાલમાં લોકોના વાંધા સૂચનો મંગાવવામાં આવેલ છે પરંતુ આગામી દિવસોએમાં તેની અમલવારી થાય તેવી પણ શ્કાયતા છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસરએ મોરબીના લોકો પાસેથી વાહન કર માટે વાંધા સૂચનો મંગાવ્યા છે અને તેમાં જણાવ્યુ છે કે, વાહનકર વસુલી લેવાનું ADM ઠરાવ નં-107 તા.12/11/2024 થી નક્કી કરવામાં આવ્યું છે અને આ બાબતે જો કોઈને વાંધો હોય તો પાલિકાએ તા 21/11/24 રોજ જાહેરાત પ્રસિધ્ધી કરી હતી તેના 30 દિવસમાં પાલિકાના ઈન્વર્ડ વિભાગમાં આધાર પુરાવા સાથે વાંધા સુચનો આપવા માટે જણાવ્યુ છે. અને આ આવા વાહન કરની વસૂલાત માટેની સંપુર્ણ જવાબદારી ડીલર, વિક્રેતા, એજન્સી કે કંપનીના ડીલરની રહેશે. અને દરેક ડીલરોકોઈપણ વાહનનું વેચાણ થાય તેની માહિતી દર મહિનાની 1 થી 10 તારીખમાં આપવાની રહેશે. અને આ નવ કરમાંથી એમ્બ્યુલન્સ, શબવાહીની, અંતિમયાત્રા પ્રાણીઓ દ્વારા ચાલતા વાહનો અને બોર્ડ-નિગમોના વાહનોને તેમજ બેટરી સંચાલીત વાહનો અને દિવ્યાંગ વ્યકિતઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનને મુકતી આપવામાં આવેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ ટુ વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 3 થી લઈને 4 ટકા, થ્રી વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 4 થી 6 ટકા અને ફોર વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 5 થી 7 ટકા સુધીનો વાહન કર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના માટે લોકોના વાંધા સૂચનો માંગવવામાં આવ્યા છે. 






Latest News