મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા


SHARE













મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા

મોરબીમાં શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો ૨૨ મો સ્નેહ મિલન સંમેલનનો કાર્યક્રમ તાજેતરમાં કલાસીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને ત્યારે બાળકો માટે જુદીજુદી રમતગમતની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરા તેમજ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા તથા પ્રકાશભાઈ વરમોરા સહિતના હાજર રહ્યા હતા તે ઉપરાંત કન્યા છાત્રાલય સુરેન્દ્રનગરના પ્રમુખ કાનજીભાઈ પટેલ, ઉમાસંકુલ ધ્રાંગધ્રાના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉમાસંકુલ માલવણના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટના પ્રમુખ અમિતભાઈ પારેજીયા, લખતર ઉમાધામના પ્રમુખ હસમુખભાઈ હાડી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહ્યા હતાં. તેમજ અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જીવરાજભાઈ ફૂલતરીયા, ગણેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજના પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતાં. તેઓના હસ્તે ધો. 1 થી પીએચડી. સુધીનાં તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને ઝાલાવાડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલાની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ ભોરણિયા તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ નાયકપરાની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ) તથા મહેશભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ)નું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News