ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા


SHARE













મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા

મોરબીમાં શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો ૨૨ મો સ્નેહ મિલન સંમેલનનો કાર્યક્રમ તાજેતરમાં કલાસીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને ત્યારે બાળકો માટે જુદીજુદી રમતગમતની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરા તેમજ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા તથા પ્રકાશભાઈ વરમોરા સહિતના હાજર રહ્યા હતા તે ઉપરાંત કન્યા છાત્રાલય સુરેન્દ્રનગરના પ્રમુખ કાનજીભાઈ પટેલ, ઉમાસંકુલ ધ્રાંગધ્રાના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉમાસંકુલ માલવણના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટના પ્રમુખ અમિતભાઈ પારેજીયા, લખતર ઉમાધામના પ્રમુખ હસમુખભાઈ હાડી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહ્યા હતાં. તેમજ અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જીવરાજભાઈ ફૂલતરીયા, ગણેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજના પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતાં. તેઓના હસ્તે ધો. 1 થી પીએચડી. સુધીનાં તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને ઝાલાવાડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલાની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ ભોરણિયા તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ નાયકપરાની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ) તથા મહેશભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ)નું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News