ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો કાર સિંગલ જવાને બદલે સાથે જશે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે: સિરામિક એસો.


SHARE













મોરબીના ઉદ્યોગકારો કાર સિંગલ જવાને બદલે સાથે જશે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે: સિરામિક એસો.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં એકથી વધુ ભાગીદારો હોય છે અને તે બધા જ જુદીજુદી ગાડીઓ લઈને સિરામિક કારખાને આવે છે જેથી કરીને મોરબીના માર્ગો ઉપર ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે જો ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારો એક કારમાં ઓછામાં ઓછા ચાર લોકો તેના કારખાને જવા માટેનું આયોજન કરશે તો તેનાથી ઘણા વાહનો રોડ ઉપર આવતા અટકી જશે.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આજની તારીખે મોરબીમાં રોડની કેપિસિટી કરતાં પર્સનલ કાર વધુ રોડ ઉપર આવે છે જેથી કરીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે જો ઉદ્યોગકારો થોડું સંકલન કરે અને થોડો સહકાર આપશે તો આ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન આવી શકે તેમ છે. આજની તારીખે મોરબીમાં એક જ લોકેશનમાંથી નિકળતી કાર એક જ કંપનીમાં જતી હોય છે તો પણ બધા જુદીજુદી કાર લઈને જાય છે જેથી કરીને સિંગલ કાર લઈને જવાનું ટાળીને એક કારમાં સાથે જવાનું નક્કી કરશે તો ડીઝલ અને સમયની બચત થશે તેમજ રોડ ઉપરનો ટ્રાફિક પણ હળવો થશે. તેમજ પ્રદુષણ અને ધૂળની ડમરીમાંથી પણ રાહત મળે તેમ છે. જો ઉદ્યોગકારો દ્વારા આ રીતે આવવા જવા માટેનું આયોજન કરવામાં આવશે તો આગામી સમયમાં અંદાજે ત્રીજા ભાગની કાર મોરબીના માર્ગો ઉપર આવતી અટકી જશે જેથી ટ્રાફિક સહિતની પરોજણથી મુક્તિ મળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિયોશયોક્તિ નથી 






Latest News