મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
Breaking news
Morbi Today

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ


SHARE









કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ

તાજેત્રમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા, દીપકભાઈ પરમાર, સંદીપભાઈ કલારિયા, વસિમભાઇ મન્સૂરી, ગુલામભાઇ પરાસરા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે કોંગ્રેસનાં પ્રમુખ સહિતના આગેવાનોએ કલેક્ટરને જણાવ્યુ હતું કે, રાજ્યસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારીને ભારતીય નાગરીકો તથા બંધારણનું અપમાન કરેલ છે જેથી કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવેલ છે અને તે દેશીની માફી માંગે તેવી માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તા.17 ડિસેમ્બરના રોજ રાજયસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની અવગણના કરીને કહયું હતું કે, "આંબેડકર, આંબેડકર, આંબેડકર" જે ભારતીય નાગરીકો તથા સંવિધાનના અપમાનજનક છે. અને જેથી આવા અશોભનીય શબ્દો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મુખે નિકળેલ હોય કરોડો લોકોની લાગણી દુભાઇ છે અને બંધારણના ઘડવૈયા, વિશ્વવિભુતિ, ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારી ભારતના લોકોની લાગણીઓને ઠેસ પહોચાડેલ છે






Latest News