મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ


SHARE













કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ

તાજેત્રમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા, દીપકભાઈ પરમાર, સંદીપભાઈ કલારિયા, વસિમભાઇ મન્સૂરી, ગુલામભાઇ પરાસરા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે કોંગ્રેસનાં પ્રમુખ સહિતના આગેવાનોએ કલેક્ટરને જણાવ્યુ હતું કે, રાજ્યસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારીને ભારતીય નાગરીકો તથા બંધારણનું અપમાન કરેલ છે જેથી કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવેલ છે અને તે દેશીની માફી માંગે તેવી માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તા.17 ડિસેમ્બરના રોજ રાજયસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની અવગણના કરીને કહયું હતું કે, "આંબેડકર, આંબેડકર, આંબેડકર" જે ભારતીય નાગરીકો તથા સંવિધાનના અપમાનજનક છે. અને જેથી આવા અશોભનીય શબ્દો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મુખે નિકળેલ હોય કરોડો લોકોની લાગણી દુભાઇ છે અને બંધારણના ઘડવૈયા, વિશ્વવિભુતિ, ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારી ભારતના લોકોની લાગણીઓને ઠેસ પહોચાડેલ છે






Latest News