ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ મહિલાનું બેભાન અવસ્થામાં જ મોત


SHARE













મોરબીમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ મહિલાનું બેભાન અવસ્થામાં જ મોત

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની બહારના ભાગમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ મહિલા બેભાન થઈ ગઈ હતી જેથી તે મહિલાને તેનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ઓલવીન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાણીબેન રાહુલભાઈ વણઝારા (20) નામની મહિલા કારખાનાની બહારના ભાગમાં વહેલી સવારે કુદરતી હાજતે ગઈ હતી અને ત્યારબાદ તે પરત નહીં આવતા તપાસ કરતા સ્થળ ઉપરથી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના પતિ રાહુલભાઈ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાન નથી તેવી માહિતી સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે






Latest News