કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના કેસરબાગના બાકડા ઉપર બેઠલા યુવાનનું કોઈ કારણોસર મોત: હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE









મોરબીના કેસરબાગના બાકડા ઉપર બેઠલા યુવાનનું કોઈ કારણોસર મોત: હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગના બાકડા ઉપરથી મૃત હાલતમાં યુવાન મળી આવ્યો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા જસ્મીનભાઇ જયંતીભાઈ કાલરીયા (40) નામનો યુવાન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં હતો અને ત્યારે ત્યાં બાકડા ઉપરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આગળની વધુ તપાસ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં નર્સિંગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 રહેતા પ્રભુદાસભાઈ હકુભાઈ સોલંકી (95) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ અંગેની મૃતકના દીકરા બાબુલાલ પ્રભુદાસ સોલંકી (71)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.






Latest News