મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ  સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 8 વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ નવમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથોસાથ વિવિધ ક્ષેત્રમાં લોકોને ઉપયોગી બને તેવી કામગીરી કરનારા પાંચ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત તુલસી પૂજન, તુલસી રોપા તેમજ માંજર વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ તુલસી દિવસની ઉજવણી સાથે બે દિવસીય બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. જેનો આજે છેલ્લો દિવસ છે આ કાર્નિવલમાં શાળાના ધો. 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની મુલાકાતે આવેલ વાલીઓ સહિતના લોકોને વિદ્યાર્થીના સ્ટોલ ઉપરથી માલની ખરીદી કરીને તેઓનો પ્રોત્સાહિત કર્યા હતા. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે.






Latest News