ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ  સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 8 વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ નવમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથોસાથ વિવિધ ક્ષેત્રમાં લોકોને ઉપયોગી બને તેવી કામગીરી કરનારા પાંચ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત તુલસી પૂજન, તુલસી રોપા તેમજ માંજર વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ તુલસી દિવસની ઉજવણી સાથે બે દિવસીય બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. જેનો આજે છેલ્લો દિવસ છે આ કાર્નિવલમાં શાળાના ધો. 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની મુલાકાતે આવેલ વાલીઓ સહિતના લોકોને વિદ્યાર્થીના સ્ટોલ ઉપરથી માલની ખરીદી કરીને તેઓનો પ્રોત્સાહિત કર્યા હતા. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે.






Latest News