મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતમાં ઇજા પામેલ મહિલાનું મોત થતાં પીએમ વગર અંતિમવિધિ કરનારા પતિ સહિત ચાર સામે કાર્યવાહી


SHARE







મોરબી નજીક અકસ્માતમાં ઇજા પામેલ મહિલાનું મોત થતાં પીએમ વગર અંતિમવિધિ કરનારા પતિ સહિત ચાર સામે કાર્યવાહી

મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ  સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા અને ત્યાંથી તે મહિલાને વતનમાં લઈ ગયા હતા અને ત્યાં તે મહિલાનું મોત નીપજયું હતું જો કે, મહિલાનું પીએમ કરાવ્યા વગર જ તેના પરિવારે તે મહિલાની અંતિમવિધિ કરી નાખી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પતિ સહિત કુલ ચાર વ્યક્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામ પાસે મારુતિ પાર્કમાં રહેતા દિલીપભાઈ રતિલાલ મુનિયાના પત્ની ઉષાબેન દિલીપભાઈ મુનિયા (31) નું ગત તા. 27/10/24 ના રોજ સવારે પોણા છેક વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર ગામ પાસે આવેલ સનસાઇન સ્કૂલ પાસે અકસ્માત થયું હતું અને આ બનાવમાં મહિલાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યારબાદ તે મહિલાને વતનમાં લઈ ગયા હતા અને ત્યાં મહિલાનું મોત નીપજ્યું હતું જોકે મહિલાનું પીએમ કરાવ્યા વગર મૃતક મહિલાની અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી જેથી હાલમાં મૃતકના પતિ દિલીપ રતિલાલભાઈ મુનિયા, સસરા રતિલાલ બલુભાઈ મુનિયા અને સાસુ મણીબેન રતિલાલ મુનિયા રહે. બંને મોરવા હડ પંચમહાલ તથા જીગ્નેશ અમરશીભાઈ રહે. પંચમહાલ વાળાની સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા અને વાસુદેવભાઈ સોનાગ્રા ચલાવી રહ્યા છે

બાળક સારવારમાં

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા શાંતિદાસ કાલિદાસ (16) નામનો બાળક બાઇકમાં જઈ રહ્યો હતો દરમિયાન પીપળીયા ચોકડી પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા પરમાર મનસુખભાઈ રવજીભાઈ (40) નામનો યુવાન બાઇક લઈને વાંકાનેર હાઇવે ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જૈન સોસાયટીમાં રહેતા રાહુલ બારોટ નામનો વ્યક્તિ બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકમાં પાછળ બેઠેલ રાહુલ બારોટને ઇજા થવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News