મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન


SHARE











મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન

મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા નવા વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે આગળ વધવા માટે નવ માં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે આગામી તા 29/12 ને રવિવારના રોજ રાખવામા આવેલ છે. ત્યારે સ્નેહ મિલન સાથે રમતોત્સવ, તેજસ્વીતા સન્માન અને વાર્ષિક સમારોહ પણ રાખવામા આવેલ છે.

મોરબીમાં કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યો કરવામાં આવે છે ત્યારે કૈલા પરિવારના ઉત્થાનના સંકલ્પ સાથે મોરબી શહેર કૈલા પરિવાર ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાળકોની રમત ગમત માટે બપોરે 2 થી 4 સુધીનો સમય રાખેલ છે ત્યાર બાદ આશીર્વચન 4 થી 4:30, તેજસ્વીતા સન્માન સાંજે 4:30 થી 5:30 અને રાસ ગરબા 5:30 થી 6:30 સુધી રાખવામા આવેલ છે ત્યાર બાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ માટેના દાતા ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ કૈલા, દિપકભાઈ હરજીભાઈ કૈલા, કિરીટભાઈ ગાંડાલાલ કૈલા, લલીતભાઈ નારણભાઈ કૈલા, રતીલાલભાઇ માવજીભાઈ કૈલા, શંકરભાઇ રાઘવજીભાઈ કૈલા, હંસરાજભાઈ જેરામભાઈ કૈલા, જીતુભાઈ & ચેતનભાઈ કૈલા. ડો. ભરતભાઈ કૈલા અને ડો. વિનોદભાઈ કૈલા, બચુભાઈ રણછોડભાઈ કૈલા અને સંજયભાઈ કૈલા, ભીખાભાઈ મહાદેવભાઈ કૈલા અને પ્રભુલાલ હરજીવનભાઈ કૈલા છે વધુ માહિતી માટે દિનેશભાઈ (9737502222), ભાવેશભાઈ (માસ્તર) (8866630937) અને અમિતભાઈ (9974422200) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News