મોરબીના શ્રદ્ધા પાર્કમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 734 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ
મોરબી: શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
SHARE
મોરબી: શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
સામખયારી ખાતે રહેતી સગર્ભા મહિલાને અમદાવાદથી સારવાર આપીને પાછા લઈ જતાં હતા ત્યારે સૂરજબારી પુલ પાસે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે માળિયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે સામખીયારી પાશ્વનાથ રેસીડેન્સી ખાતે રહેતા ગોમતીબેન રણજીતભાઈ વાળા (45) ને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતુ જેથી હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને સાત મહિનાનો ગર્ભ હતો અને સગર્ભા મહિલા અમદાવાદ સારવાર લઈને પરત સામખીયારી જતી હતી ત્યારે માળિયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પહોંચતા તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ સામખયારીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવારે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.