ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત


SHARE







મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત

મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ખાતે રહેતી મહિલા, મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા આધેડ અને વાંકાનેરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું છે જે બનાવોની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે જુદાજુદા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઘૂનડા રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ખાતે રહેતા સુકલીબેન નંદાભાઈ (40) નામની મહિલાને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને હાર્ટ એટેકથી મહિલાનું મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્યારે મોરબીમાં દલવાડી સર્કલ પાસે રહેતા પ્રવીણભાઈ રવજીભાઈ સોનાગ્રા (56) નામના આધેડને છાતીમાં દુખાવો પડ્યો હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તો વાંકાનેરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા અશોકભાઈ અમુભાઈ સીતાપરા (44) વાંકાનેરના જીપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલ પંપની ઓફિસમાં હતા ત્યારે ત્યાં તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિનંદન સોસાયટીમાં રહેતા રમેશભાઈ ચાવડાની સાત વર્ષની દીકરી સિયાબેન રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કારના ટાયર નીચે તેનો પગ આવી જવાના કારણે અકસ્માત થયો હતો આ બનાવમાં બાળકીને પગમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસની જાણ કરવામાં આવી છે

માર માર્યો

માળીયા મીયાણા ખાતે રહેતા પરેશભાઈ કેતનભાઇ શિંગાળા (26) નામના યુવાનને સોખડા ગામના પાટીયાથી આગળ ભીમસર બ્રિજ નજીક પાંચ થી છ શખ્સો દ્વારા પથ્થર અને બેલ્ટ વડે માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News