સમાચારની અસર: મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડ સામે અકસ્માત સર્જે તેવો ખાડો બુરાયો ખરો
માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન યોજાયું: અનેક કાર્યકર્તાઑ આપમાં જોડાયા
SHARE
માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન યોજાયું: અનેક કાર્યકર્તાઑ આપમાં જોડાયા
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ માળિયા શહેર પ્રમુખ જેડા તૈયબ જુસબ, માળિયા શહેર ઉપપ્રમુખ જેડા અલ્તાફ હુશેન અને માળિયા શહેર મહામંત્રી કટીયા રિઝવાનભાઈ અને તેની ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહના આત્માને શાંતિ માટે બે મીનીટ મૌન રાખવામા આવ્યું હતું આ તકે કચ્છ-મોરબી ઝોન પ્રભારી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ વિરમગામા સહિતના હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને ધર્મગુરુ સૈયદ કુરબાનશા હુશેનશા બાપુની આગેવાની હેઠળ માળિયા તાલુકા આગેવાનો જેમાં સંધવાણી અબ્બાસભાઈ, સંધવાણી ફતેમામદભાઈ, જામ ફારુક, જામ ઈનુશ, કટીયા ઈનુશ, બાઈગાલી અનવર, બાઈગાલી ફિરોઝ, પટેલ બાબરીયા, હસન નુરમામદ, કટીયા કાસમ, કટીયા રહીમ, સામતાણી તૈયબ સહિતના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને ધર્મગુરુ દ્વારા માળિયા પાલિકા જીતવા માટે રણનીતિ ઘડવા માટે હાકલ કરાઇ છે.