મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


SHARE









સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ધોરણ૧ થી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિશેષ સન્માનમાં બ્રિજેશભાઈ પંડ્યાને મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ વિસ્મય ત્રિવેદી અને ડી.જી.મહેતા અમરેલીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ઉદઘાટક પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા પ્રમુખ સ્થાન ડો.અનિલભાઈ મહેતા અતિથિ વિશેષ શૈલેષભાઈ ભટ્ટ (નાયબ જીલ્લા વિકાસ અધિકારી), જલ્પાબેન ત્રિવેદી (જીલ્લા મહિલા બાળ અધિકારી), છેલભાઈ જોશી, કે.સી.દવે, ચેતનભાઈ પંચોલી, મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના૧૨ જીલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ડી.જી.મહેતા મેનેજિંગ ટ્રસ્ટી તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મોરબી લેહરું પરિવાર દ્વારા ભગવાન પરશુરામ દાદાને ધજા ચડવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનવા માટે અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, નલિનભાઈ ભટ્ટ, હસુભાઈ પંડ્યા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, દીપ પંડ્યા તેમજ પરશુરામધામના કાર્યકરો જોડાયા હતા






Latest News