મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લામાં રીક્ષા ચાલકો ઉપર પોલીસનો અત્યાચાર બંધ ન થાય તો ઉગ્ર આંદોલનઃ કલેકટરને આવેદન પાઠવ્યુ


SHARE







મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોને પોલીસ વિભાગ દ્વારા આડેધડ મેમા દેવામાં આવે છે તેવી ફરિયાદ સાથે આજે રીક્ષા ચાલકો દ્વારા પોતાની રીક્ષાના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રિક્ષાચાલકો સામે જે આડેધડ કાર્યવાહી કરવામાં આવે છે તે રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો રીક્ષા ચાલકો ઉપર અત્યાચાર ચાલુ રાખવામાં આવશે તો મોરબી જિલ્લામાં તમામ રિક્ષાઓના પૈડા થંભાવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી રીક્ષા ચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને આવીદનપત્ર પાઠવ્યું હતું.

મોરબીમાં ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તે માટે છેલ્લા દિવસોથી પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવે છે અને તે અંતર્ગત રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડ્યા હોય, ડોક્યુમેન્ટ ન હોય, ફેન્સી નંબર પ્લેટ હોય વગેરે જેવી બાબતોને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જો કે તેમાં કેટલાક રીક્ષા ચાલકોને આડેધડ મેમા દેવામાં આવ્યા હોય આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં રીક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને તેઓને આડેધડ પોલીસ વિભાગ દ્વારા મેમા દેવામાં આવે છે તેવી ફરિયાદ સાથે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રીક્ષા ચાલકો રેલી સ્વરૂપે ગયા હતા અને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં મોરબીના રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે તેઓની રીક્ષા લોન ઉપર ચાલતી હોય છે અને દર મહિને રિક્ષાના હપ્તા અને પરિવારનું ગુજરાન રીક્ષા ઉપર જ ચાલતું હોય છે ત્યારે તેઓને આડેધડ જે મેમા દેવામાં આવે છે તેમજ રીક્ષા ડીટેન કરીને 25,000 જેવા મેમાં દેવામાં આવતા હોવાથી રીક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થાય છે અને થોડા સમય પહેલા જ કોઈ અશરફભાઈ નામના રિક્ષા ચાલકે ટેન્શનમાં આવીને ઝેરી દવા આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે થઈને રીક્ષા ચાલકો ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ રીક્ષા ચાલકો રીક્ષાઓ બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.






Latest News