મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો


SHARE













મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા તા 1 ને બુધવારે આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો 24 કલાક નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા 1 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, 10 વાગ્યે સામૈયા, 11 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 10 વાગ્યે ડાકનો કાર્યક્રમ યોજાશે અને તા 2 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાવળદેવ હરેશભાઇ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ડાકની રમઝટ બોલાવશે. જેથી ધર્મ પ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.




Latest News