વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયો
SHARE







વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં વાંકાનેર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઉત્તરપ્રદેશમાં યોજાનર કુંભમેળાના અનુસંધાને એક સ્ટીલની થાળી અને થેલા માટે કાર્યક્રમ યોજાયો હતો જે દરમિયાન વાંકાનેરમાં ત્રણ દિવસમાં 1100 થાળી અને કાપડના થેલા માટેના સેટ મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં સ્થિત પટેલ વાળી ખાતે નગર અને તાલુકાનો ત્રીદિવસીય પ્રારંભિક વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં 64 શિક્ષર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત સંઘ પરિવારનો સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ બહેનો સહિત 350 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો દ્વારા ભારે જાહેમત ઉઠાવી હતી
