મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ


SHARE







SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ

મોરબી જીલ્લામાં પેટકોક ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને એસએમસી દ્વારા જ તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનામાં સંડોવાયેલા અધિકારી સહિતનાઓ સુધી પહોચવા માટે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી હતી અને એક અધિકારીની માહિતી પણ એસએમસીના અધિકારી દ્વારા માંગવામાં આવી હતી તેવામાં તાત્કાલિક અસરથી તે અધિકારીની એસપીએ સિંગલ ઓર્ડર કરીને બદલી કરી હતી જો કે, તેની અમલવારી ઘણા દિવસો સુધી કરવામાં આવી ન હતી અને તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હવે એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે સફળ રેડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટકોક ચોરીવિશ્વાસઘાત અને છેતરપીંડીનો કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને જયારે રેડ કરવામાં આવી હતી ત્યારે એસએમસીના અધિકારીઓએ સ્થળ ઉપરથી 12 આરોપીની પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જો કેઆ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને આઠ આરોપીઓને પડકવાના બાકી છે તેમજ મોરબી જિલ્લામાંથી અન્ય કોણ કોણ આ કાળા કારોબારમાં સંડોવાયેલ છે તેની હક્કિત બહાર લાવવા માટેની તપાસ એસએમસીના અધિકારી જ ચલાવી રહ્યા છે.

તેવામાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગત તા .13/12 ના રોજ સિંગલ ઓર્ડર કરીને  એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી જો કેઓર્ડરની ઘણા દિવસો સુધી અમલવારી કરવામાં આવી ન હતી જેથી કરીને તેને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તા 24/12 ના રોજ એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરવામાં આવેલ છે અને પીએસઆઈ કે.એચ.ભોચિયને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે. ઉલેખનીય છે કેએસએમસીની ટીમે તા 7/12 ના રોજ મોરબીના ગાળા નજીક ગોડાઉનમાં રેડ કરી હતી ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 20 શખ્સોની સામે પેટકોક ચોરીવિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ એસએમસીના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News