ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ


SHARE













SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ

મોરબી જીલ્લામાં પેટકોક ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને એસએમસી દ્વારા જ તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનામાં સંડોવાયેલા અધિકારી સહિતનાઓ સુધી પહોચવા માટે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી હતી અને એક અધિકારીની માહિતી પણ એસએમસીના અધિકારી દ્વારા માંગવામાં આવી હતી તેવામાં તાત્કાલિક અસરથી તે અધિકારીની એસપીએ સિંગલ ઓર્ડર કરીને બદલી કરી હતી જો કે, તેની અમલવારી ઘણા દિવસો સુધી કરવામાં આવી ન હતી અને તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હવે એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે સફળ રેડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટકોક ચોરીવિશ્વાસઘાત અને છેતરપીંડીનો કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને જયારે રેડ કરવામાં આવી હતી ત્યારે એસએમસીના અધિકારીઓએ સ્થળ ઉપરથી 12 આરોપીની પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જો કેઆ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને આઠ આરોપીઓને પડકવાના બાકી છે તેમજ મોરબી જિલ્લામાંથી અન્ય કોણ કોણ આ કાળા કારોબારમાં સંડોવાયેલ છે તેની હક્કિત બહાર લાવવા માટેની તપાસ એસએમસીના અધિકારી જ ચલાવી રહ્યા છે.

તેવામાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગત તા .13/12 ના રોજ સિંગલ ઓર્ડર કરીને  એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી જો કેઓર્ડરની ઘણા દિવસો સુધી અમલવારી કરવામાં આવી ન હતી જેથી કરીને તેને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તા 24/12 ના રોજ એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરવામાં આવેલ છે અને પીએસઆઈ કે.એચ.ભોચિયને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે. ઉલેખનીય છે કેએસએમસીની ટીમે તા 7/12 ના રોજ મોરબીના ગાળા નજીક ગોડાઉનમાં રેડ કરી હતી ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 20 શખ્સોની સામે પેટકોક ચોરીવિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ એસએમસીના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News