ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીના કેસમાં વિમેદારને રકમ મળી


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીના કેસમાં વિમેદારને રકમ મળી

મોરબીના નાની વાવડી ગામના વતની રાકેશ દામજીભાઈ ખાણઘરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરાઈ જતાં એચ.ડી.એફ.સી. એગ્રો વીમા કંપનીએ વિમો ચુકવવાની ના પાડતા મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં રૂા.૬૫,૭૫૦ અને રૂા. ૫૦૦૦ ખર્ચના તા.૭-૭-૨૩ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

કેસની વિગત એવી છે કે, નાની વાવડીના વતની રાકેશભાઈ દામજીભાઈ ખાણધરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ તા.૨૭-૬-૨૨ ના રોજ ઘરની બહાર શેરીમાં રાખેલ જે રાત્રી દરમિયાન કોઈ ચોરી ગયેલ તેમણે મોરબી સીટી પોલીસ સ્ટેશન એ. ડીવીઝનમાં ફરીયાદ અંગે રજુઆત કરેલ પોલીસ ખાતાના કહેવા પ્રમાણે હાલ અરજી દઇ જાવ અને એકાદ અઠવાડીયામાં નહીં મળે તો ફરીયાદ દાખલ કરીશું તેમ પોલીસે જણાવ્યું હતુ.જેથી ગ્રાહકે અરજી આપી દીધી હતી.પરંતુ ચોરાયેલ મોટર સાયકલ નહીં મળતાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

ગ્રાહકનો વીમો એચ.ડી.એફ.સી. એગ્રો ઇન્સ્યુરન્સ કંપનીનો હતો. કંપનીએ એવો જવાબ આપ્યો હતો કે ફરીયાદ ૧૯ દિવસ મોડી થતા વિમો મળે નહીં ગ્રાહક અદાલતે આ કારણનો સ્વીકાર કરેલ નહીં. અને કહ્યુ કે ગ્રાહકે વિમો ભરેલ છે અને મોડી ફરીયાદ સાથે કોઇ સબંધ નથી. માટે વિમા કંપનીએ ગ્રાહકને રૂા.૬૫,૭૫૦ અને રૂા.૫૦૦૦ ખર્ચાના ખર્ચ પેટે ગ્રાહકની રકમ લોન લીધી તે બેંકમાં ભરી આપવા અને બાકીની રકમ ગ્રાહકને ચુકવી દેવી એવો હુકમ કરેલ છે.કોઇપણ ગ્રાહકનું વાહન ચોરાઈ જાય કે સળગી જાય તો પ્રથમ જે તે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી જરૂરી છે.ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ ખરીદીનું બીલ લેવુ જોઇએ છતાં કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંત ભટ્ટ (મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૮ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News