રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ


SHARE











મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં સંકલ્પ દિવસ ઉજવાયો હતો.૨૦૨૫ ના નવા વર્ષના પ્રથમ દિવસે અન્ય લોકો વિદેશી દેશોનું અનુકરણ કરીને તેમની સંસ્કૃતી મુજબ નવું વર્ષ ઉજવે છે પરંતુ ભારતીય સંસ્કૃતી મુજબ આપણું નવું વર્ષ દિવાળીના બીજા દિવસ બેસતા વર્ષથી શરૂ થાય છે માટે આપણે આ વિદેશી સંસ્કૃતીને અનુસરવું જોઈએ નહિ અને ભારતીય પરંપરા જળવાઇ તે હેતુથી આ શાળામાં ભારતીય સંસ્કૃતી મુજબ ૨૦૨૫ ના પ્રથમ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ જેમાં વિધાર્થીઓએ દરરોજ પોતાના માતા-પિતા અને ગુરુજીને વંદન કરવાનું તેમજ તેઓને કે પરિવારને લાંછન લાગે તેવું એકપણ કાર્ય નહિ કરું અને પોતાના અભ્યાસને ધ્યાને લઈને અલગ અલગ સંકલ્પ લીધા હતા.શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ વિદેશી સંસ્કૃતીને ભૂલીને આપણી સંસ્કૃતીનું જતન કરવાનો દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ લેવડાવેલ અને બીજાને પણ આ દિવસે કોઈને કોઈ સંકલ્પ લેવડાવશુ તેવો સંકલ્પ કરાવ્યો હતો અને સૌ સાથે મળીને આ સંકલ્પ દિવસની ઉજવણી થકી ભારતીય સંસ્કૃતીને વિશ્વભરમાં પ્રચલિત કરીએ તેવું આહવાન કર્યુ હતુ.






Latest News