ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં સંકલ્પ દિવસ ઉજવાયો હતો.૨૦૨૫ ના નવા વર્ષના પ્રથમ દિવસે અન્ય લોકો વિદેશી દેશોનું અનુકરણ કરીને તેમની સંસ્કૃતી મુજબ નવું વર્ષ ઉજવે છે પરંતુ ભારતીય સંસ્કૃતી મુજબ આપણું નવું વર્ષ દિવાળીના બીજા દિવસ બેસતા વર્ષથી શરૂ થાય છે માટે આપણે આ વિદેશી સંસ્કૃતીને અનુસરવું જોઈએ નહિ અને ભારતીય પરંપરા જળવાઇ તે હેતુથી આ શાળામાં ભારતીય સંસ્કૃતી મુજબ ૨૦૨૫ ના પ્રથમ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ જેમાં વિધાર્થીઓએ દરરોજ પોતાના માતા-પિતા અને ગુરુજીને વંદન કરવાનું તેમજ તેઓને કે પરિવારને લાંછન લાગે તેવું એકપણ કાર્ય નહિ કરું અને પોતાના અભ્યાસને ધ્યાને લઈને અલગ અલગ સંકલ્પ લીધા હતા.શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ વિદેશી સંસ્કૃતીને ભૂલીને આપણી સંસ્કૃતીનું જતન કરવાનો દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ લેવડાવેલ અને બીજાને પણ આ દિવસે કોઈને કોઈ સંકલ્પ લેવડાવશુ તેવો સંકલ્પ કરાવ્યો હતો અને સૌ સાથે મળીને આ સંકલ્પ દિવસની ઉજવણી થકી ભારતીય સંસ્કૃતીને વિશ્વભરમાં પ્રચલિત કરીએ તેવું આહવાન કર્યુ હતુ.






Latest News