રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?


SHARE











મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?

સરકાર દ્વારા લોકોને પગભર કરવા માટે તેને વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી કીટ આપવામાં આવતી હોય છે જોકે, મોરબી જિલ્લામાં લાભાર્થીઓને કીટ મંજુર કરવામાં આવે તો મોરબી નહીં પરંતુ વાંકાનેર ખાતે કીટ લેવા માટે થઈને જવું પડે છે જો મોરબીની આસપાસમાં જ ગોડાઉન રાખીને ત્યાં માલસામાન રાખવામાં આવે તો લાભાર્થીઓને ઓછી હાલાકીનો સામનો કરવો પડે તેવું લાભાર્થીઓમાં ચર્ચા રહ્યું છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી સરકારની વિવિધ યોજના હેઠળ અથાણા મશીન, પાપડ બનાવવાનું મશીન, દરજીકામ માટેનું મશીન, ભરત કામ માટેનું મશીન, બ્યુટી પાર્લરને લગતી સામગ્રીની કીટ વિગેરે કુલ મળીને 18 જેટલા ટ્રેડનું કીટ મંજૂર કરવામાં આવતી હોય છે અને તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આપવામાં આવતી હોય છે જોકે ગાંધીનગર ખાતેથી કિટને મંજુર કરવામાં આવે ત્યાર બાદ મોરબી શહેરમાં સોરડી રોડ ઉપર આવેલ જિલ્લા સેવાસદન ખાતે કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીને તેનું વેરિફિકેશન કરવા માટે આવવાનું હોય છે અને ત્યારબાદ મોરબી જિલ્લાના કોઈપણ તાલુકામાંથી લાભાર્થીને કીટ મંજૂર થઇને વાંકાનેર ખાતે તે કીટ લેવા માટે જવું પડતું હોય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો લાભાર્થીને કીટ મંજુર થયા બાદ તેનું વેરિફિકેશન મોરબી શહેરમાં થતું હોય તો મોરબીની આસપાસમાં જ જો કોઈ જગ્યાએ ગોડાઉન રાખીને માલ રાખવામા આવતો હોય તો હળવદ, માળીયા, ટંકારા અને મોરબી શહેર અને તાલુકાના લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા ખાવા પડે નથી. જોકે અધિકારીઓ દ્વારા શા માટે થઈને આવી વ્યવસ્થા નથી કરવામાં આવતી તે સવાલ ઉઠી રહ્યો છે.






Latest News