મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?


SHARE











મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?

સરકાર દ્વારા લોકોને પગભર કરવા માટે તેને વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી કીટ આપવામાં આવતી હોય છે જોકે, મોરબી જિલ્લામાં લાભાર્થીઓને કીટ મંજુર કરવામાં આવે તો મોરબી નહીં પરંતુ વાંકાનેર ખાતે કીટ લેવા માટે થઈને જવું પડે છે જો મોરબીની આસપાસમાં જ ગોડાઉન રાખીને ત્યાં માલસામાન રાખવામાં આવે તો લાભાર્થીઓને ઓછી હાલાકીનો સામનો કરવો પડે તેવું લાભાર્થીઓમાં ચર્ચા રહ્યું છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી સરકારની વિવિધ યોજના હેઠળ અથાણા મશીન, પાપડ બનાવવાનું મશીન, દરજીકામ માટેનું મશીન, ભરત કામ માટેનું મશીન, બ્યુટી પાર્લરને લગતી સામગ્રીની કીટ વિગેરે કુલ મળીને 18 જેટલા ટ્રેડનું કીટ મંજૂર કરવામાં આવતી હોય છે અને તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આપવામાં આવતી હોય છે જોકે ગાંધીનગર ખાતેથી કિટને મંજુર કરવામાં આવે ત્યાર બાદ મોરબી શહેરમાં સોરડી રોડ ઉપર આવેલ જિલ્લા સેવાસદન ખાતે કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીને તેનું વેરિફિકેશન કરવા માટે આવવાનું હોય છે અને ત્યારબાદ મોરબી જિલ્લાના કોઈપણ તાલુકામાંથી લાભાર્થીને કીટ મંજૂર થઇને વાંકાનેર ખાતે તે કીટ લેવા માટે જવું પડતું હોય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો લાભાર્થીને કીટ મંજુર થયા બાદ તેનું વેરિફિકેશન મોરબી શહેરમાં થતું હોય તો મોરબીની આસપાસમાં જ જો કોઈ જગ્યાએ ગોડાઉન રાખીને માલ રાખવામા આવતો હોય તો હળવદ, માળીયા, ટંકારા અને મોરબી શહેર અને તાલુકાના લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા ખાવા પડે નથી. જોકે અધિકારીઓ દ્વારા શા માટે થઈને આવી વ્યવસ્થા નથી કરવામાં આવતી તે સવાલ ઉઠી રહ્યો છે.






Latest News