ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ

મોરબી પાલિકા દ્વારા ચાલતા ડ્રેનેજ સફાઈના વાહનમાં આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ કરી નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ રસ્તામાં ગાડી દોડાવી રહ્યા છે પરંતુ છતાં પણ આ ગાડી કોઈ પણ અધિકારીના નજરમાં આવતી નથી ? તો શું નિયમો બધા માત્ર ગરીબ માણસોને લાગુ પડે છે એવી રીતે તેના ઉપર કોઈપણ પ્રકારની કોઈ દ્વારા કાર્યવાહી થતી નથી. ? અને આજુબાજુના વિસ્તારમાંથી ગટર સફાઈનો કચરો ઉપાડી યોગ્ય નિકાલ કરવાની બદલે સામાકાંઠે વોર્ડ નંબર- ૩ કે જે વિસ્તારમાં હાલના ધારાસભ્ય અને નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ બંનેના વસવાટ કરતા હોય એવાં વીસ્તારમાં આવેલી વિદ્યુતનગર, હરિપાર્ક સોસાયટી, ઉમા ટાઉનશિપ સોસાયટીના આવન જાવનના રસ્તાની બાજુમાં આવેલ પંપિંગ સ્ટેશનના દરવાજાની બાજુમાં જ ગટરના કદડાના નિકાલ કરવામાં આવે છે અને આજુબાજુમાં રહેતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે તો તો આવી રીતે ખુલ્લેઆમ કદડો નાખવાથી રહીશોને થતી પરેશાનીનો ઉકેલ ક્યારે આવશે તેવી આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે અને આ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવા માંગ કરવામાં આવી છે. વધુમાં આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો સ્થાનીક લોકોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News