મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યૂસન્સ પોઈન્ટ-પાર્કિંગ સહિતના મુદાઓને પ્રાધાન્ય આપીને કામ કરાશે: સ્વપ્નિલ ખરે


SHARE













મોરબીમાં ન્યૂસન્સ પોઈન્ટ-પાર્કિંગ સહિતના મુદાઓને પ્રાધાન્ય આપીને કામ કરાશે: સ્વપ્નિલ ખરે

મોરબીના મહાપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે આજે સ્વપ્નિલ ખરે એ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર તેમજ ધારાસભ્યઓ સહિતના મહાપાલિકા ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મોરબીમાં આવતાની સાથે જ ન્યૂસન્સ પોઈન્ટ અને પાર્કિંગ સહિતના મુદા ધ્યાને આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે

મોરબી પાલિકાને સરકારે મહાપાલિકા બનાવેલ છે ત્યારે પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે ને મૂકવામાં આવેલ છે તેઓએ આજે મોરબી મહાપાલિકા કચેરી ખાતે આવીને ચાર્જ સંભાળી લીધેલ છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓએ અને આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સ્વપ્નિલ ખરેએ પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓએ અગાઉ રાજકોટ મહાપાલિકામાં કામ કર્યું છે તેના અનુભવનો મોરબીને લાભ મળશે અને શહેરા રોડ રસ્તા, પાણીગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર વધારે સારું કરવાની દિશામાં કામ કરવામાં આવશે. આટલું જ નહીં મોરબીમાં આવતાની સાથે રસ્તાની આસપાસમાં ગંદકીફૂટપાથનું લેવલ બરાબર નથી, વાહન પાર્કિંગ અને ન્યૂસન્સ પોઈન્ટ ધ્યાન ઉપર આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે તેની સાથોસાથ મહાપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને મૂકવામાં આવેલ છે તેની  સાથે સંકલન કરીને સરકારમાંથી મંજૂર કરવામાં આવેલ અધિકારીઓની જગ્યાની ભરતી તેમજ વર્ગ 3 અને 4 ના સ્ટાફની ભરતી સહિતનું કામ પણ વહેલી તકે કરવામાં આવશે. અને ખાસ કરીને મોરબીના લોકો મહાપાલિકાની કામગીરીમાં સહકાર આપે તેવી તેઓએ અપીલ કરેલ હતી




Latest News