આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

મોરબી ખાતે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સૌરાષ્ટ્ર-કચ્છમાથી રોજી રોટી કમાવવા માટે મોરબીમાં આવેલા અને અહીના રહેવાસી બની ગયેલા લેઉવા પાટીદારો તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

મોરબીમા રહેતા લેઉવા પાટીદાર સમાજના સભ્યોનો પરિચય, સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા સમૂહ ભોજનનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ તકે ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે.વી. કાકડીયા, જિલ્લા ટ્રેઝરી અધિકારી પી.આર.રાવરિયા તેમજ મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ અધિકારીઓ, મોરબીમા સેવા આપતા લેઉવા પાટીદાર સમાજના ડોકટરો, સી.એ. વગેરે લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના જ્ઞાતિ રત્નો એવા નરેન્દ્રભાઈ સંધાત કે જેઓ ભારત સરકારના સિરામિક અને રિફેક્ટરી વિભાગના સભ્ય છે અને સરદારધામના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે તેનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને લજાઈ ગામે આવેલ ઉમા સંસ્કાર ધામના અધ્યક્ષ એ.કે.પટેલ, શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા ઉપપ્રમુખ બેચરભાઈ પટેલ, સભ્ય હસુભાઈ દુબરિયા, આર.ડી.સી. બેંક ના ડિરેક્ટર સંજયભાઈ ભાગિયા વગેરેનુ સન્માન મોરબી તાલુકા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ સુમંતભાઇ રોકડ, ઉપપ્રમુખ મંગલજીભાઈ સુવાગીયા સહિતની ટીમે કર્યા હતા આ તકે લેઉવા પાટીદાર સમાજના 750 જેટલા કુટુંબીજનો હાજર રહ્યા હતા અને સમૂહભોજનનો લાભ લીધેલ હતો.






Latest News