ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ?


SHARE













મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ?

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા કમિશ્નરની આગેવાની હેઠળ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારે જેસીબીની મદદથી પાકા દબાણો તોડી નાખવામાં આવ્યા હતા અને લારી ગલ્લા સહિતના દબાનોને દુર કરાવવામાં આવ્યા હતા જો કે, શહેરના પ્રવેશદ્વાર સમાન રોડે દબાણ હટાવવામાં આવેલ છે પરંતુ શહેરના હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાંથી દબાણોને કયારે દૂર કરવામાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા કમિશ્નરની આગેવાની હેઠળ ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જેસીબીની મદદથી પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કર્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના જે 24 મુખ્ય માર્ગ છે જેના ઉપર થઈ ગયેલ દબાણોને દૂર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને “વન વીક વન રોડ” એટ્લે કે અઠવાડિયામાં એક રોડ ઉપર આવી જ રીતે દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આજે શનાળા રોડે ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી રોડ સાઈડમાં જેટલા પણ દબાણો હતા તેને દૂર કરાવવામાં આવેલ છે અને ભવિષ્યમાં પાછા દબાણ ન થાય તેના માટે દર અઠવાડિયે જુદાજુદા વિસ્તારમાં આવી જ રીતે દબાણોને હટાવવા માટેનું કાર્યવાહી ચાલુ જ રાખવામા આવશે.

અત્રે ઉલેખનીય છેકે, મોરબીનો શનાળા રોડે શહેરના પ્રવેશદ્વાર સમાન છે અને ત્યાં કરવામાં આવેલા દબાણોને હટાવવા માટેનું કામ મહાપાલિકાની ટીમે હાલમાં કર્યું છે અને અગાઉ અનેક વખત ત્યાં દબાણો હટાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે પરંતુ મોરબીના હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં કરવામાં આવેલા દબાણો કેમ અધિકારીઓને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે મોરબીના નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ગાંધીચોક, લોહાણાપરા, શાક માર્કેટ ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે આડેધડ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ કરવામાં આવેલ છે તેને મહાપાલિકાની ટીમ કયારે દૂર કરાવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News