મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ સંપન


SHARE

















મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ સંપન

ઉમિયા સર્વિસ કલાસ ફોર્મના વાર્ષિક અધિવેશનમાં તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત થયેલા,બઢતી પામેલા કર્મયોગીનું સન્માન કરાયું

મોરબીમાં તમામ સરકારી ખતાઓમાં ફરજ બજાવતા કડવા પાટીદારો માટેનું સંગઠન ઉમિયા સર્વિસ કલાસ ફોરમ છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે,વર્ષ દરમ્યાન સમાજમાં થતી સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમના સભ્યો શ્રમદાન આપે છે,આર્થિક યોગદાન આપે છે,અને એકબીજાને મદદ કરવાની ભાવનાથી કાર્ય કરે છે. આ સંગઠનનું વાર્ષિક અધિવેશન દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાયું હતું.જેમાં સમાજ શ્રેષ્ઠીઓ સમાજની સંસ્થાના આગેવાનો બેચરભાઈ હોથી,કે.વી.આદ્રોજા નરભેરામભાઈ શિરવી, નરશીભાઈ કાંજીયા, ડો.ભાવેશભાઈ જેતપરિયા દિનેશભાઈ વડસોલા, સંદીપભાઈ આદ્રોજા,અશ્વિનભાઈ એરણીયા પ્રમુખ ઉમિયા સર્વિસ કલાસ ફોરમ,હિતેશભાઈ ગોપાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં કાર્યકમની શરૂઆત દિપ પ્રજવલ્લનથી કર્યા બાદ અશ્વિનભાઈ એરણીયાએ સૌનું શાબ્દિક અભિવાદન કર્યું હતું ત્યારબાદ સૌને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા,દિનેશભાઈ વડસોલા,ડો.ભાવેશ જેતરિયા, હિતેશભાઈ ગોપાણી, ભાણજીભાઈ આદ્રોજા, બેચરભાઈ હોથી વગેરેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજમાં વ્યાપેલા સાંપ્રત સામાજિક દુષણો પર ચર્ચા કરી હતી અને સાથે મળી ઉત્તમ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બની કામ કરવાની વાતો કરી હતી, કાર્યક્રમમાં ધોરણ દશથી માંડી પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.એવી જ રીતે સર્વિસ દરમ્યાન બઢતી પ્રાપ્ત કરનાર તેમજ નિવૃત થયેલ કર્મયોગીઓનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.શિલ્ડ અને સન્માનપત્રના કાયમી દાતા તરીકે સ્વ.ગોવિંદભાઈ એરણિયા અને શ્રી ચંદુભાઈ કુંડારિયા રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમનું સુંદર સુચારૂ સંચાલન શૈલેષભાઈ ઝાલરીયાએ કર્યું હતું.આભાર દર્શન ફોરમના મંત્રીશ્રી ઘનશ્યામભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું. કાર્યકમને સફળ બનાવવા અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા, શૈલેષભાઈ કાલરીયા,નરેન્દ્રભાઈ ઝાલરીયા ,અશોકભાઈ વસિયાણી, રાજેશ મોકાસણા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News