મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દાડમની ખેતી-માર્કેટની મુલાકાત લેતી મહારાષ્ટ્રના સોલાપુરથી કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમ


SHARE











મોરબી જીલ્લામાં દાડમની ખેતી-માર્કેટની મુલાકાત લેતી મહારાષ્ટ્રના સોલાપુરથી કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમ

દાડમનું મબલખ ઉત્પાદન આપતા મોરબી જિલ્લાના હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ‘‘દાડમ પાકના ઉત્કૃષ્ટતા કેન્દ્ર’’ (સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પોમોગ્રનેટ)ની શક્યતાઓ તપાસવા માટે દાડમ પાકનું વાવેતર કરતા ક્લસ્ટરની મુલાકાતે ભારત સરકારની NRCP (National Research Centre on Pomegranate) તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટીમ સોલાપુરથી આવી હતી. ભારત સરકારની આઇ.સી.આર.આર. (ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ) હેઠળ સોલાપુર, મહારાષ્ટ્રમાં NRCP કાર્યરત છે. જે સમગ્ર દેશમાં દાડમ માટેનું એક માત્ર સંશોધન કેન્દ્ર છે.

દાડમની વૈશ્વિક ગુણવતા, ઉત્પાદન, માર્કેટીગ, રિસર્ચ સહિતની બાબતો માટે સંશોધન કેન્દ્ર ઉપયોગી થઇ શકે તેની શકયતાનો સર્વે કેન્દ્રીય વૈજ્ઞાનિકોની ટીમે કર્યો હતો. દાડમ પાકના તજજ્ઞ સંશોધન વૈજ્ઞાનિક ડો. સંગ્રામ ધૂમલ, ડો. રાજનકુમાર સિંધ, ડો. સોમનાથ પોખરે તથા ડો. નમ્રતા ગીરીએ તા.8 ના રોજ ધ્રાંગધ્રા અને તા. 9 ના રોજ હળવદ વિસ્તારના દાડમના ખેતરોની મુલાકાત લીધી હતી. જયાં ખેડૂતોની ખેતી પદ્ધતિ, વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા તેમજ રોગ-જીવાતના પ્રશ્નો અંગે ઝીણવટ ભરી સમજ મેળવી હતી. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર ટીમે ખાનગી દાડમના માર્કેટની પણ મુલાકાત લીધી હતી તથા ત્યાં થતા કાર્યો અંગેની માહિતી મેળવી હતી. આ તકે બ્રિજેશ જેઠલોજા મદદનીશ બાગાયત નિયામક મોરબી, મુકેશ ગાલવડિયા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગર, ભાવેશ કોઠારિયા બાગાયત અધિકારી હળવદ, વિપુલ સુરેલા મદદનીશ બાગાયત નિયામક રાજકોટ વિભાગ, ગણપત ચૌધરી બાગાયત અધિકારી ધ્રાંગધ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.






Latest News