મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા વહેલી તકે દૂર કરવા આપની માંગ


SHARE













મોરબીમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા વહેલી તકે દૂર કરવા આપની માંગ

મોરબીમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે અને સ્વચ્છ મોરબી માટે અનેક વખત અભિયાન કરવામાં આવ્યું છે તેના ફોટો તો સારા આવે છે જો કે, નગર તેવું નહીં તે હક્કિત છે આજની તારીખે ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળે છે અને ગૌવંશ કચરો ખાવા મજબૂર છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે કામ ત્વરિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મોરબી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ઘણી વખત ધારાસભ્ય, સાંસદ અને મોરબી નગરપાલિકા તથા પ્રશાસન દ્વારા રોડ ઉપર સાવરણા લઈને ફોટો પાડીને વાયરલ કરવામાં આવતા હોય છે પરંતુ વાસ્તવિકતા શું છે તે જોવાની તસ્દી કયારે પણ લેવામાં આવતી નથી આજની તારીખે મોરબીના સામા કાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા સર્વિસ રોડ ઉપર કચરાના ઢગલા પડેલ છે અને મોરબી પાલિકા તેમજ ધારાસભ્ય સફાઈ અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે હવે મોરબી મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલ દ્વારા કમિશ્નરને જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી કચરામાંથી પ્લાસ્ટિક ખાઈ જવાના લીધે અનેક ગૌવંશના મૃત્યુ થયા છે અને કચરાના લીચે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ગંદકીને દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News