મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











વાંકાનેરમાં કાલે માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાંકાનેરમાં ભગવાન માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે મંદિરે કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરના થાન રોડ પર નિર્માણ પામેલા ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સમૂહલગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે ત્યારે કાલે તા 16 જાન્યુઆરીએ સવારે 6 થી 12 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમ યોજાશે અને અને સવારે 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે. જેમાં 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. તેની સાથે જ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી મહાપ્રસાદ પણ યોજાશે. આ તકે વાંકાનેરના શાસ્ત્રી હિતેષભાઈ જોષી દ્વારા લગ્ન વિધિ કરાવવામાં આવશે. અને આ કાર્યક્રમના અધ્યક્ષપદે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા હાજર રહેવાના છે. તેમજ સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સમાજના લોકોને આવવા માટે સમસ્ત કોળી સમાજ સમિતિ વાંકાનેર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News