ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ધારિયા-લોખંડના પાઇપથી માર મારનારા બે સગાભાઈ પકડાયા


SHARE













મોરબીમાં યુવાનને ધારિયા-લોખંડના પાઇપથી માર મારનારા બે સગાભાઈ પકડાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં અગાઉ ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને બે સગાભાઈઓએ ધારિયા અને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (46)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા તથા રાજેશ અમરશીભાઈ વરણીયા રહે. બંને ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ કરી હતી કે, એકાદ વર્ષ પહેલા ફરિયાદીને આરોપીઓ સાથે ગાળો બોલવા બાબતે બોલચાલી થયેલ હતી તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ધારિયા અને પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા હિતેશભાઈ મકવાણાએ આરોપી મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને શામજી ઉર્ફે રાજુ અમરશીભાઈ વરાણીયાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ કેશુભાઈ કાટીયા (45) નામના યુવાને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી બાપાસ રોડ ઉપર આવેલી યોગી વિદ્યાલય સામે મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં માળીયા મીયાણા ખાતે રહેતા મુકેશ હીરાભાઈ દેવીપુજક (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News