મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ધારિયા-લોખંડના પાઇપથી માર મારનારા બે સગાભાઈ પકડાયા


SHARE













મોરબીમાં યુવાનને ધારિયા-લોખંડના પાઇપથી માર મારનારા બે સગાભાઈ પકડાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં અગાઉ ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને બે સગાભાઈઓએ ધારિયા અને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (46)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા તથા રાજેશ અમરશીભાઈ વરણીયા રહે. બંને ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ કરી હતી કે, એકાદ વર્ષ પહેલા ફરિયાદીને આરોપીઓ સાથે ગાળો બોલવા બાબતે બોલચાલી થયેલ હતી તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ધારિયા અને પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા હિતેશભાઈ મકવાણાએ આરોપી મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને શામજી ઉર્ફે રાજુ અમરશીભાઈ વરાણીયાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ કેશુભાઈ કાટીયા (45) નામના યુવાને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી બાપાસ રોડ ઉપર આવેલી યોગી વિદ્યાલય સામે મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં માળીયા મીયાણા ખાતે રહેતા મુકેશ હીરાભાઈ દેવીપુજક (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News