મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામથી મયુરનગરના રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાને કારણે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજને હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ કોળી વાસમાં રહેતો સંજય ઉર્ફે વિપુલ બાબુભાઈ વલીયાણી (22) નામનો યુવાન કોઈપણ કારણોસર ટીકર ગામથી મયુરનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે સંજયનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ચંદુભાઈ અમરશીભાઈ વલિયાણી (46) રહે. ટીકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા લાખાભાઈ ચૌહાણ (61) નામના વૃદ્ધને ગામમાં કિશન હાર્ડવેર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના પાનેલી ગામે રહેતા અરજણભાઈ જીવણભાઈ ચાવડા નામના વ્યક્તિ જોધપર નદી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News