મોરબીના અંદરણા ગામ પાસેથી ટ્રક ટ્રેલરની ચેસીસમાં બનાવેલ ચોર ખાનામાંથી 4608 બોટલ દારૂ અને 96 બિયરના ટીન સાથે એક ઝડપાયો: 20.87 લાખનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામથી મયુરનગરના રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાને કારણે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજને હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ કોળી વાસમાં રહેતો સંજય ઉર્ફે વિપુલ બાબુભાઈ વલીયાણી (22) નામનો યુવાન કોઈપણ કારણોસર ટીકર ગામથી મયુરનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે સંજયનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ચંદુભાઈ અમરશીભાઈ વલિયાણી (46) રહે. ટીકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા લાખાભાઈ ચૌહાણ (61) નામના વૃદ્ધને ગામમાં કિશન હાર્ડવેર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના પાનેલી ગામે રહેતા અરજણભાઈ જીવણભાઈ ચાવડા નામના વ્યક્તિ જોધપર નદી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News