મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂક


SHARE













મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂક

મોરબી જિલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, કોળી સમાજના આગેવાન અને મોરબી જિલ્લાના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચાણીયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લાના વકીલ મંડળના તમામ હોદ્દેદારો અને સિનિયર તથા જુનિયર વકીલઓ અને તમામ રાજકીય આગેવાનો પત્રકાર તેમજ પોલીસ મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને કોળી સમાજમાં એક જ પરિવારમાંથી બે-બે વ્યક્તિઓ એટલે કે તેમના પુત્રવધુ પૂનમબેનની પણ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ હોય એવી આ પ્રથમ ઘટના છે. આથી કોળી સમાજ ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યો છે. ખાસ કરીને સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા દિલીપભાઈ અગેચાણીયાને વ્યક્તિગત શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હાલમાં દિલીપભાઈ અગેચાણીયા મોરબી જિલ્લા પંચાયત સહિત અનેક સંસ્થાઓમાં અને લારસન એન્ડ ટર્બો  તથા આરસી ઇન્ડસ્ટ્રીઝ (સોલાર) જેવી મોટી કંપનીઓમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે.




Latest News