લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની 28 પૈકી 13 બેઠકમાં ઉમેદવાર બિનહરીફ વિજેતા 15 માં ચુંટણી: હળવદ પાલિકાની 28 બેઠકોમાં ચુંટણી યોજાશે


SHARE

















મોરબી જિલ્લામાં વાંકાનેર અને હળવદ નગરપાલિકા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે તેમાંથી ફોર્મ પર ખેંચવા માટેના દિવસે વાંકાનેર પાલિકામાંથી એક અને હળવદ પાલિકામાંથી બે ઉમેદવારી પત્રો ખેંચાયા છે જોકે વાંકાનેર પાલિકામાં જુદા જુદા વોર્ડમાંથી કુલ મળીને 28 પૈકીના 13 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભાજપના સૌથી વધુ 11 ઉમેદવારો છે.

આગામી 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વર્ગની સ્વરાજની ચૂંટણી યોજવાની છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ હળવદ અને વાંકાનેર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં બંને પાલિકાની કુલ મળીને 56 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જોકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા ત્યારથી લઈને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના સમય સુધીમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે જોવા જઈએ તો વાંકાનેર નગરપાલિકા માટે કુલ મળીને 53 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.

જેમાંથી 7 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા જ્યારે 1 ઉમેદવારી પત્ર મંગળવારે પરત ખેંચવામાં આવ્યું છે. જેથી કરીને બાકી રહેલા 45 ઉમેદવારોમાંથી કુલ મળીને 13 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ભાજપના 11 ઉમેદવાર તથા કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવારનો સમાવેશ થાય છે જે વોર્ડમાંથી ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વોર્ડ નંબર 1ના 4, વોર્ડ નંબર 5 ના 4 અને વોર્ડ નંબર 3 અને 7 માંથી 2-2 અને વોર્ડ નંબર 4:માંથી 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે જોકે હવે બાકી રહેલી 15 બેઠકો માટે 32 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે.


હળવદ નગરપાલિકાની વાત કરીએ તો હળવદ નગરપાલિકા માટે કુલ મળીને 75 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તેમાંથી 3 ઉમેદવારી પત્રને રદ કરવામાં આવ્યા હતા અને 72 ઉમેદવારી પત્રને માન્ય રાખવામાં આવેલ છે જેમાંથી ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે કુલ 2 ઉમેદવારી પત્ર પાછા ખેંચવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 3 માંથી 1 અને વોર્ડ નંબર 6 માંથી 1 ઉમેદવારી પત્ર પાછું ખેંચવામાં આવ્યું છે જોકે હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે અને આ પાલિકાની તમામ બેઠક માટે મતદાન થવાનું છે જેથી હવે ચૂંટણી પ્રચારના ઉમેદવારો અને રાષ્ટ્રીય પક્ષ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવશે.




Latest News