ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની 28 પૈકી 13 બેઠકમાં ઉમેદવાર બિનહરીફ વિજેતા 15 માં ચુંટણી: હળવદ પાલિકાની 28 બેઠકોમાં ચુંટણી યોજાશે


SHARE













મોરબી જિલ્લામાં વાંકાનેર અને હળવદ નગરપાલિકા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે તેમાંથી ફોર્મ પર ખેંચવા માટેના દિવસે વાંકાનેર પાલિકામાંથી એક અને હળવદ પાલિકામાંથી બે ઉમેદવારી પત્રો ખેંચાયા છે જોકે વાંકાનેર પાલિકામાં જુદા જુદા વોર્ડમાંથી કુલ મળીને 28 પૈકીના 13 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભાજપના સૌથી વધુ 11 ઉમેદવારો છે.

આગામી 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વર્ગની સ્વરાજની ચૂંટણી યોજવાની છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ હળવદ અને વાંકાનેર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં બંને પાલિકાની કુલ મળીને 56 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જોકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા ત્યારથી લઈને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના સમય સુધીમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે જોવા જઈએ તો વાંકાનેર નગરપાલિકા માટે કુલ મળીને 53 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.

જેમાંથી 7 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા જ્યારે 1 ઉમેદવારી પત્ર મંગળવારે પરત ખેંચવામાં આવ્યું છે. જેથી કરીને બાકી રહેલા 45 ઉમેદવારોમાંથી કુલ મળીને 13 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ભાજપના 11 ઉમેદવાર તથા કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવારનો સમાવેશ થાય છે જે વોર્ડમાંથી ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વોર્ડ નંબર 1ના 4, વોર્ડ નંબર 5 ના 4 અને વોર્ડ નંબર 3 અને 7 માંથી 2-2 અને વોર્ડ નંબર 4:માંથી 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે જોકે હવે બાકી રહેલી 15 બેઠકો માટે 32 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે.


હળવદ નગરપાલિકાની વાત કરીએ તો હળવદ નગરપાલિકા માટે કુલ મળીને 75 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તેમાંથી 3 ઉમેદવારી પત્રને રદ કરવામાં આવ્યા હતા અને 72 ઉમેદવારી પત્રને માન્ય રાખવામાં આવેલ છે જેમાંથી ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે કુલ 2 ઉમેદવારી પત્ર પાછા ખેંચવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 3 માંથી 1 અને વોર્ડ નંબર 6 માંથી 1 ઉમેદવારી પત્ર પાછું ખેંચવામાં આવ્યું છે જોકે હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે અને આ પાલિકાની તમામ બેઠક માટે મતદાન થવાનું છે જેથી હવે ચૂંટણી પ્રચારના ઉમેદવારો અને રાષ્ટ્રીય પક્ષ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવશે.






Latest News