મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો આજે રાજપરથી કરાયો પ્રારંભ
SHARE
મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજે રાજપરથી કરાયો પ્રારંભ
સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૮મી નવેમ્બર થી ત્રિદિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ યાત્રામાં બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિતમાં આ યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે સાંસદ સહિતના ભાજપના આગેવાનો હજાર રહ્યા હતા
આ યાત્રા પહેલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં કાર્યક્રમના શુભારંભ, સમાપન, વિવિધ કામોનું ખાતમૂહુર્ત – લોકાર્પણ અને યોજનાકીય લાભોનું વિતરણ અંગેની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અને કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૧૧ જેટલા જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને વિવિઘ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તો જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રૂટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાની જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે મોરબી જિલ્લાના પાંચેય તાલુકા અને ૩૫૯ ગામોને સાંકળી લેશે. આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના રાજપર મધ્યે યોજવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો અને વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું