માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યનું રાષ્ટ્રીય પરિષદમાં એવોર્ડ આપીને કર્યું સન્માન


SHARE











મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યનું રાષ્ટ્રીય પરિષદમાં એવોર્ડ આપીને કર્યું સન્માન

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા  "પ્રયાસ" નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવેલ હતું.  જેમા દેશના ખૂણે ખૂણે થી રક્તદા મુહિમ ચલાવનાર સંસ્થાના લોકો એ હાજરી આપેલ હતી. ત્યારે આ પરિષદ થેલેશેમિયા બીમારીને કેમ અટકાવવી તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડી રહે છે. અને આ બાબતે કેમ સુધારો લાવી સકાય તેની ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર દેશમાંથી કુલ ૮૧ સંસ્થાઓએ આ પરિષદમાં ભાગ લીધેલ હતો. આ બાબતે ૧૦ મહાનુભવોની ખાસ પેનલ બનાવેલ હતી જેઓ યોગ્ય નિરાકરણ લાવી શકે છે આ પરિષદમાં મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ  માટે જાણીતા યંગ ઈન્ડિયા ગ્રૂપ ની "લોહી માં છે માનવતા" મુહિમ માટે ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ત્યારે યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારીએ ગ્રૂપની રક્તદાન મુહિમ "લોહી માં છે માનવતા" માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો..








Latest News