મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓની પડતર માંગો નહીં સંતોષતા અચોક્કસ મુદતની હડતાલ
મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યનું રાષ્ટ્રીય પરિષદમાં એવોર્ડ આપીને કર્યું સન્માન
SHARE






મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યનું રાષ્ટ્રીય પરિષદમાં એવોર્ડ આપીને કર્યું સન્માન
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા "પ્રયાસ" નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવેલ હતું. જેમા દેશના ખૂણે ખૂણે થી રક્તદાન મુહિમ ચલાવનાર સંસ્થાના લોકો એ હાજરી આપેલ હતી. ત્યારે આ પરિષદ થેલેશેમિયા બીમારીને કેમ અટકાવવી તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડી રહે છે. અને આ બાબતે કેમ સુધારો લાવી સકાય તેની ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર દેશમાંથી કુલ ૮૧ સંસ્થાઓએ આ પરિષદમાં ભાગ લીધેલ હતો. આ બાબતે ૧૦ મહાનુભવોની ખાસ પેનલ બનાવેલ હતી જેઓ યોગ્ય નિરાકરણ લાવી શકે છે આ પરિષદમાં મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા યંગ ઈન્ડિયા ગ્રૂપ ની "લોહી માં છે માનવતા" મુહિમ માટે ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ત્યારે યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારીએ ગ્રૂપની રક્તદાન મુહિમ "લોહી માં છે માનવતા" માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો..


