મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ ક્લાસીસનો પારિતોષિક-પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીના નવનિર્માણ ક્લાસીસનો પારિતોષિક-પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસ દ્વારા 2011-12થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક, પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 માં સાદગીપૂર્ણ પરંતુ શ્રેષ્ઠ રીતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલીપભાઈ પરમાર, હિરેનભાઈ નથવાણી, દીપસિંહ સોલંકી, દિપ્તીબેન અગ્રાવત હાજર રહ્યા હતા અને સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ 119 જેટલા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિશેષએ રહ્યું હતું કે, આખા વર્ષ દરમિયાન ક્લાસીસમાં હાજર રહેનાર 15 બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં સમાજ આપણને આપે છે, આપણે સમાજને આપવું જ જોઈએએ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે. ધો. 5 થી 12 (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે. તેવું આ ક્લાસીસના સંચાલક મયુરભાઈ શુક્લ (9825633154) અને અલ્પેશભાઈ ગાંધી (9898448974)એ જણાવ્યુ  છે






Latest News