મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ
SHARE
મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઉમા ટાઉનશિપ મુકામે આવેલ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની હાજરી આપી હતી.ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહીને બાળકોને વ્યસન ન કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમે તેવી સપથ લીધી હતી.