પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો


SHARE









મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્દગુરુ શ્રી ધ્યાનિ સ્વામિજીની દિવ્ય પ્રેરણાથી સોમવારના રોજ સવારે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ  સામે શ્રીજી પેલેસ મનસુખભાઇ પટેલના નિવાસ સ્થાને ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું અને ભગવાન સ્વામિનારાયણે આજથી 204 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1877 માં લોયા ના દરબાર શ્રી સુરા ખાચરના પ્રેમને વશ થઈ અને ૨-૨ માસ સુધી સ્વયં શાકનો વઘાર કરીને સર્વે સંતો-ભક્તોને જમાડેલ તો દિવ્ય લીલાને અનુસંધાને દર વર્ષે  સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ શાકોત્સવમા સ્વામિનારાયણ મુળ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાથી સદ્દગુરુ સાહિત્યાચાર્ય  સત્સંગભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે આવ્યા હતા અને પોતાના વરદ હસ્તે શાકનો દિવ્ય વઘાર કરીને દિવ્ય દર્શન, આશિર્વચન  અને મહાપ્રસાદનો લાભ આપેલ હતો તારે મોરબી  તેમજ આજુ બાજુના  ગામના સર્વે સત્સંગીજનો ધર્મપ્રેમીજનો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News