મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો


SHARE















મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્દગુરુ શ્રી ધ્યાનિ સ્વામિજીની દિવ્ય પ્રેરણાથી સોમવારના રોજ સવારે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ  સામે શ્રીજી પેલેસ મનસુખભાઇ પટેલના નિવાસ સ્થાને ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું અને ભગવાન સ્વામિનારાયણે આજથી 204 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1877 માં લોયા ના દરબાર શ્રી સુરા ખાચરના પ્રેમને વશ થઈ અને ૨-૨ માસ સુધી સ્વયં શાકનો વઘાર કરીને સર્વે સંતો-ભક્તોને જમાડેલ તો દિવ્ય લીલાને અનુસંધાને દર વર્ષે  સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ શાકોત્સવમા સ્વામિનારાયણ મુળ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાથી સદ્દગુરુ સાહિત્યાચાર્ય  સત્સંગભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે આવ્યા હતા અને પોતાના વરદ હસ્તે શાકનો દિવ્ય વઘાર કરીને દિવ્ય દર્શન, આશિર્વચન  અને મહાપ્રસાદનો લાભ આપેલ હતો તારે મોરબી  તેમજ આજુ બાજુના  ગામના સર્વે સત્સંગીજનો ધર્મપ્રેમીજનો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News