મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો
મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયાથી વધુ રૂપિયા ચૂકવી દીધા તો પણ દસ લાખની પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયાથી વધુ રૂપિયા ચૂકવી દીધા તો પણ દસ લાખની પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વકર્મા પાર્કમાં રહેતા અને નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા વધુ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ દસ લાખ રૂપિયાની માંગણી કરીને બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં વિશ્વકર્મા પાર્ક ખાતે રહેતા અને નવાડેલા રોડ ઉપર દુકાન ધરાવતા મિથુનભાઈ મોહનભાઈ કંધનાણી (39)એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ વિનોદભાઈ ખખ્ખર રહે મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વર્ષ 2023 ના મે મહિનામાં તેઓએ ચિરાગભાઈ ખખ્ખર પાસેથી ઊંચા વ્યાજે 15 લાખ રૂપિયા લીધેલા હતા અને તેની સામે તેઓએ અત્યાર સુધીમાં 18,52,800 રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને બળજબરી પૂર્વક રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.