મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની બંન્ને પાલિકામાં કેસરીયો લહેરાયો, વાંકાનેર 21 અને હળવદ 27 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય


SHARE







મોરબી જિલ્લાની હળવદ તથા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુર્ણ થઇ ગયેલ છે અને આ બંન્ને પાલિકામાં ભાજપ પુન: સત્તા ઉપર આવી ગયેલ છે જો કે, વાંકાનેર પાલિકામાં દસ વર્ષ પછી કોંગ્રેસને પાંચ બેઠક મળેલ છે. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કહેયુ હતુ કે, હું સક્રિય ભાજપમાં છો ત્યાં સુધી વાંકાનારે પાલિકા ભાજપની જ છે અને રહેશે જે દિવસે ભાજપની પાલિકા નહી બને ત્યારે તે રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી દેશે

મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું અને 63.61 ટકા મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને હળવદમાં આવેલ મોર્ડન સ્કૂલ ખાતે આ મતોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર 1 માં 1 બેઠક કોંગ્રેસને મળી છે જો કે, 27 બેઠકો ઉપર ભાજપ વિજેતા બનેલ છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ હતી અને 15 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતુ જેની ગણતરી પુર્ણ થઇ ગયેલ છે જેમા 21 બેઠકો ઉપર ભાજપ, 5 બેઠક ઉપર કોંગ્રેસ, 1 બેઠક ઉપર આપ અને 1 બેઠક ઉપર અપક્ષ વિજેતા બનેલ છે. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કહેયુ હતુ કે, હું સક્રિય ભાજપમાં છો ત્યાં સુધી વાંકાનારે પાલિકા ભાજપની જ છે અને રહેશે જે દિવસે ભાજપની પાલિકા નહી બને ત્યારે તે રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી દેશે ઉલ્લેખનીય છે કે આ બંન્ને પાલિકા વર્ષોથી ભાજપ પાસે છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે તો માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પેટા ચુંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે






Latest News