માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની બંન્ને પાલિકામાં કેસરીયો લહેરાયો, વાંકાનેર 21 અને હળવદ 27 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય


SHARE













મોરબી જિલ્લાની હળવદ તથા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુર્ણ થઇ ગયેલ છે અને આ બંન્ને પાલિકામાં ભાજપ પુન: સત્તા ઉપર આવી ગયેલ છે જો કે, વાંકાનેર પાલિકામાં દસ વર્ષ પછી કોંગ્રેસને પાંચ બેઠક મળેલ છે. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કહેયુ હતુ કે, હું સક્રિય ભાજપમાં છો ત્યાં સુધી વાંકાનારે પાલિકા ભાજપની જ છે અને રહેશે જે દિવસે ભાજપની પાલિકા નહી બને ત્યારે તે રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી દેશે

મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું અને 63.61 ટકા મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને હળવદમાં આવેલ મોર્ડન સ્કૂલ ખાતે આ મતોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર 1 માં 1 બેઠક કોંગ્રેસને મળી છે જો કે, 27 બેઠકો ઉપર ભાજપ વિજેતા બનેલ છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ હતી અને 15 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતુ જેની ગણતરી પુર્ણ થઇ ગયેલ છે જેમા 21 બેઠકો ઉપર ભાજપ, 5 બેઠક ઉપર કોંગ્રેસ, 1 બેઠક ઉપર આપ અને 1 બેઠક ઉપર અપક્ષ વિજેતા બનેલ છે. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કહેયુ હતુ કે, હું સક્રિય ભાજપમાં છો ત્યાં સુધી વાંકાનારે પાલિકા ભાજપની જ છે અને રહેશે જે દિવસે ભાજપની પાલિકા નહી બને ત્યારે તે રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી દેશે ઉલ્લેખનીય છે કે આ બંન્ને પાલિકા વર્ષોથી ભાજપ પાસે છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે તો માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પેટા ચુંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે






Latest News