મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ
SHARE
મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ
મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેની બાજુમાં ડાઈવર્ઝન બનાવવામાં આવેલ છે જો કે તે રસ્તો ચાલવા જેવો નથી જેથી ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા માટેની રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખે માંગ કરી છે.
મોરબીના લીલાપર રોડ ઉપર ઇલેક્ટ્રિક સ્મશાનથી આગળ રામદેવપીરના મંદિર પાસે જે બ્રિજ થોડા સમય પહેલા તૂટી ગયો હતો ત્યાં રાહદારીઓને બાઈક લઈને નીકળવામાં હાલમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જે ડાઈવર્ઝન આપવામાં આવેલ છે તે રસ્તો ખૂબ જ ખરાબ છે જેથી કરીને તંત્રને રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ ટેલિફોનીક અને રૂબરૂ રજૂઆત કરી છે અને જો તાત્કાલિક ધોરણે આ રસ્તો સરખો કરવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલન ના માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.