મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ


SHARE







મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેની બાજુમાં ડાઈવર્ઝન બનાવવામાં આવેલ છે જો કે તે રસ્તો ચાલવા જેવો નથી જેથી ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા માટેની રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખે માંગ કરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર ઇલેક્ટ્રિક સ્મશાનથી આગળ રામદેવપીરના મંદિર પાસે જે બ્રિજ થોડા સમય પહેલા તૂટી ગયો હતો ત્યાં રાહદારીઓને બાઈક લઈને નીકળવામાં હાલમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જે ડાઈવર્ઝન આપવામાં આવેલ છે તે રસ્તો ખૂબ જ ખરાબ છે જેથી કરીને તંત્રને રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાટેલિફોનીક અને રૂબરૂ રજૂઆત કરી છે અને જો તાત્કાલિક ધોરણે રસ્તો સરખો કરવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલન ના માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News