મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ


SHARE







મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા ભંગાર હાલતમાં છે જેથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરીને વહેલી તકે રોડ સારા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં દબરબાર ગઢથી નહેરૂ ગેઇટ ચોકમાં હવે લારીઓ પણ નથી તો શું રોડ થશે ? અને થોડા સમય પહેલા ધારાસભ્ય નહેરુગેઇટના ચોકમાં બોલ્યા હતા કે, “દરબારગઢ થી નેહરૂ ગેઇટ વચ્ચેનો રોડ ૩ મહિનામાં થઇ જશે” તો તે કામ કયારે શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવશે ત્યારે વેપારીઓને ધંધા બંધ ન રાખવા પડે તેવુ આયોજન કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીમાં રવાપર રોડ તાજેતરમાં બનાવેલ છે તો પણ તેમાં થીગડા મારવા પડે છે જેથી આવું કામ ન કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે અને મોરબીના ખાસ કરીને ગાંધી ચોક પાસે, સરકારી હોસ્પિટલ રોડ, નગરદરવાજા રોડ, રેલ્વે સ્ટેશન રોડ વિગેરે જેવા રસ્તા ભંગાર હાલતમાં છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી લોકો વતી માંગ કરી છે.






Latest News