મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ
SHARE
મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ
મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા ભંગાર હાલતમાં છે જેથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરીને વહેલી તકે રોડ સારા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં દબરબાર ગઢથી નહેરૂ ગેઇટ ચોકમાં હવે લારીઓ પણ નથી તો શું રોડ થશે ? અને થોડા સમય પહેલા ધારાસભ્ય નહેરુગેઇટના ચોકમાં બોલ્યા હતા કે, “દરબારગઢ થી નેહરૂ ગેઇટ વચ્ચેનો રોડ ૩ મહિનામાં થઇ જશે” તો તે કામ કયારે શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવશે ત્યારે વેપારીઓને ધંધા બંધ ન રાખવા પડે તેવુ આયોજન કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીમાં રવાપર રોડ તાજેતરમાં બનાવેલ છે તો પણ તેમાં થીગડા મારવા પડે છે જેથી આવું કામ ન કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે અને મોરબીના ખાસ કરીને ગાંધી ચોક પાસે, સરકારી હોસ્પિટલ રોડ, નગરદરવાજા રોડ, રેલ્વે સ્ટેશન રોડ વિગેરે જેવા રસ્તા ભંગાર હાલતમાં છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી લોકો વતી માંગ કરી છે.